પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા કલારવાડાના નાકા ઉપર જબરેશ્વરી બહુચર માતાના મંદિરનો આ વિસ્તારના યુવા ભાઈઓ-બહેનોના જબરેશ્વરી યુવક મંડળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
જેમાં માતાજીના મુખારવિંદ સહિત ગણેશજી તેમજ નારસુંગાવીરદાદાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ત્રિ-દિવસીય મહોત્સવ આજથી પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય યજમાન તરીકેનો લાભ પરેશભાઈ ભાનુભાઈ પટેલે પરીવારે લીધો હતો .પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ના આચાર્ય પદે ડો. અમિતભાઈ ઓઝા પ્રતિષ્ઠા વિધિ વિધાન કરાવશે.
પ્રસંગના મંદિરના ટ્રસ્ટી કાલિકા માતાજીની પૂજામાં સેવારત વ્યાસ પરિવારના અશોકભાઈ વ્યાસે જણાવ્યા મુજબ આ માતાજી અમારા પરિવારના કુળદેવી છે. લગભગ 300 વર્ષથી પેઢી દર પેઢી એક માત્ર ટ્રસ્ટી અમે છીએ.
યુવક મંડળના સભ્યોના અથાગ પરિશ્રમથી જૂનાપુરાણા મંદિરે નવા કલેવર ધારણ કર્યા છે. અન્ય દાતાઓએ જરૂરિયાત મુજબ ઉદાર હાથ લંબાવ્યો છે. મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે માતાજીના ચોકમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.