રક્તકણોનું દાન:પાટણના યુવકે સ્ટેમ સેલ દાન કરી 10 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના યુવકે સ્ટેમ સેલ દાન કરી 10 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું પહેલી જ વાર રક્તદાન કરનાર ડિંકલ પટેલે કહ્યું, રક્તકણોનું દાન કરી કોઇનું જીવન બચાવવાનો આનંદ મળ્યો 2013માં નિરમા પરિવાર આયોજિત કેમ્પમાં લાળનું સેમ્પલ આપેલું, જે 13 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળકને મેચ થયું હતું.

પાટણમાં રહેતા અને તાલુકાના કણી ગામના વતની ડિંકલ પટેલ નામના યુવાને સ્ટેમ સેલ દાન કરી આયર્લેન્ડના 13 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, એમએસસી આઇટીના અભ્યાસ બાદ હાલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ડિંકલ પટેલે ક્યારેય રક્તદાન કરેલું નથી. પરંતુ 13 વર્ષના બાળકની જિંદગી બચાવવા વિના સંકોચે સ્ટેમ સેલ દાન કરવા તૈયાર થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મારા માટે ખુશી અને ગર્વની વાત એ છે કે મારા દ્વારા દાન કરાયેલા રક્તકણોથી એક 13 વર્ષના બાળકનો જીવ બચશે. દરેક લોકોએ સ્ટેમ સેલ ડોનેશન કરવું જોઈએ, આ સરળ પ્રક્રિયા છે. રક્તકણોનું દાન બિલકુલ રક્તદાન જેવું જ હતું.

આજથી 10 વર્ષ અગાઉ જાન્યુઆરી 2013માં પાટણમાં નિરમા પરિવાર દ્વારા યોજાયેલા કેમ્પમાં ડિંકલકુમાર ડાહ્યાભાઇ પટેલે સ્ટેમ સેલ માટે લાળનું સેમ્પલ આપ્યું હતું. જાન્યુઆરી 2023માં જ્યારે તેમને દાત્રી નામની સંસ્થામાંથી ફોન આવ્યો કે તમારા રક્તકણો એક 13 વર્ષના બ્લડ કેન્સર પીડિત બાળક સાથે મેચ થઇ રહ્યા છે, તો તેમણે દાન માટે તૈયારી દર્શાવી અને તે માટે તેમના પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હતો. તાજેતરમાં તેમણે રક્તકણોનું દાન કર્યું, ત્યારે તેમનો ઉત્સાહ વધારવા અને પ્રેરણા આપવા તેમના મિત્ર વિશ્વજીત પણ પોતાના બિઝનેસમાંથી એક દિવસ સમય કાઢીને તેમની સાથે રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, 18 થી 50 વર્ષ વચ્ચેની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ બ્લડ સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધણી કરાવી શકે છે.

બે વર્ષ અગાઉ પાટણની મહિલાએ કેનેડાની યુવતીને સ્ટેમ સેલનું દાન કર્યું હતું
પાટણના અઘાર ગામનાં 42 વર્ષીય દક્ષાબેન પટેલે પણ આજથી 10 વર્ષ અગાઉ 2013માં નિરમા પરિવાર આયોજિત કેમ્પમાં સ્ટેમ સેલ માટે લાળનું સેમ્પલ આપ્યું હતું. તેમના સ્ટેમ સેલ કેનેડાની 32 વર્ષીય યુવતી સાથે મેચ થતાં તેમણે 2 વર્ષ અગાઉ અમદાવાદ જઇ સ્ટેમ સેલનું દાન કરી લોહીની જીવલેણ બીમારીથી પીડિત વિદેશી મહિલાને નવજીવન આપ્યું હતું.

જાગૃતિના અભાવને દૂર કરવાની જરૂર છે
દાત્રી ગુજરાતના કૉ-ઓર્ડિનેટર ભરતસિંહ બારીઆના જણાવ્યા મુજબ, આ કિસ્સામાં લોકો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે અજાણ છે અને તેથી દાતા તરીકે નોંધણી કરાવતાં ગભરાય છે. કેટલાક લોકો એવું વિચારે છે કે તે પછીથી દાન કરી શકે છે. કેન્સર પીડિત દર્દી ક્યારેય આવા રોગનો ભોગ બનવાની કલ્પના પણ કરતો નથી. આ રોગથી પીડિત થયા પછી, શ્વાસ લેવાની અને વધુ દિવસો સુધી જીવિત રહેવા શ્રેષ્ઠ સારવાર માટે સમયની સાથે દોડ શરૂ થાય છે. અમારી પાસે 5000 જેટલા એવા દર્દીઓ છે જેમને બ્લડ સ્ટેમ સેલનું દાન કરવા માટે એક પણ દાતા મળ્યો નથી. બ્લડ સ્ટેમ સેલ દાતાઓમાં 10 હજારે એક થી લઈ 10 લાખમાં એક મેચ થવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...