સાંતલપુર રેલવે ફાટક નજીક સાંતલપુરના 25 વર્ષના યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.સાંતલપુરમાં રહેતો માળી જિગરભાઈ મહાદેવભાઈ મજૂરી કામ કરી જીવન ગુજારતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતો હતો. ગુરુવારે સાંજના સમયે યુવાને માલગાડી નીચે પડતું મુકી આપઘાત કરી ચકચાર મચી હતી.
ઘટનાની જાણ આસપાસ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસને જાણ થતા સ્થળ પર કાર્યવાહી કરી સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારને લાશ સોંપી હતી. જુવાનજોધ દીકરાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આધારભૂત સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષ જેટલા સમયથી પત્ની સાથે છૂટાછેટા થતાં યુવાન માનસિક તણાવમાં રહેતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.