આવાસોની કામગીરી પ્રગતિમાં:પંચમહાલ જિલ્લામાં 66,220 પ્રધાનમંત્રી આવાસો બન્યા

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકી 5571 આવાસોની કામગીરી પ્રગતિમાં છે

પંચમહાલ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીની બેઠક સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મોરવા ધારાસભ્ય નિમિષાબેન સુથાર ની હાજરીમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાય હતી.

આ બેઠકમાં અધ્યક્ષ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્ષ-2016-2022માં 71791ના લક્ષ્યાંક સામે 66,220 આવાસો પૂર્ણ થયેલ છે.

બાકી રહેલ 5571 આવાસો સામે પાયા ભરવાની કામગીરમાં 1,216 આવાસો, પ્લીન્થ પર 3,786 આવાસો,લિન્ટલ પર 526 આવાસો અને રૂફ પર- 43 આવાસો છે. તેમજ રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી 42,947 લાભાર્થીઓને સહાય,નિરાધાર વૃધ્ધ સહાય યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી 6,108 લાભાર્થીઓને સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં 2,742 લાભાર્થીઓને બેન્ક મારફત સહાય, ઇન્દીરાગાંધી ડીસ એબીલીટી પેન્સન સ્કીમમાં 1,805 લાભાર્થીઓને સહાય સહિતના વિકાસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...