તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાવના સરહદી ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી.જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી. વાવ તાલુકાના સરહદે આવેલા લોદ્રાણી, નાળોદર, ચોથારનેસડા તેમજ રાધાનેસડા ગામના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલનું પૂરતું પાણી મળતું નથી. નર્મદા વિભાગમાં વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે દર સાલે શિયાળુ સીઝન માટે સમયસર પૂરતું પાણી મળતું નથી. જેને લઈ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેતરોમાં મોંઘાદાટ ખાતર, બિયારણ બોઈ પાણીની વાટ જોઈ બેઠા છીએ પણ પાણી મળતું નથી. જેને લઈ હાલત કફોડી બની છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.