તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાવના સપ્રેડા ગામે મનરેગા યોજના હેઠળ થયેલ કામોની તપાસ કરવા કચેરીઓ દ્વારા યોગ્ય જવાબ નહિ મળતાં ગામલોકોએ ઘરણા પર બેસવાની તારીખ માંગવા પ્રાંત કચેરી ખાતે 10 જેટલા લોકોએ શીરિસ્તેદારને શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. જેની વિરુદ્ધ અન્ય ગામ લોકોએ બુધવારે મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ‘ગામમાં કેટલાક લોકો માથાભારે અને ભૂમાફિયા છે.
સરકારી લાભાર્થીઓ પાસેથી હપ્તા અને ટકાવારી પડાવે છે. જેથી સરપંચ દ્વારા કહેવા જતાં તેમની વિરુદ્ધ આ લોકો ખોટા આક્ષેપો કરી રહ્યા છે. ગામમાં રોડ ઉપર ગુણવત્તાયુક્ત કામગીરી મેટલ, મોરમ અને રોલર ફેરવી કરવામાં આવી છે.સરપંચ કે અધિકારીઓએ આ બાબતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી. આ આવેદનપત્ર આપનાર લોકોએ સરકારી જમીન ઉપર દબાણ પણ કરી સરકારી જમીનને નુકસાન કરેલ છે.તેવું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.