તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવપુરા ખાતેથી અપાતાં પીવાના પાણીની પાઇપલાઇનનું મરામત કામ કરવાનું હોઇ વાવ, સુઇગામ તાલુકાના 35 ગામોમાં 3 દિવસ પીવાનું પાણી બંધ રહેશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની બીકે 4 ફેજ 2 જૂથ યોજના અંતર્ગત દેવપુરા ખાતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ મારફત સુઇગામ અને વાવ તાલુકાના ગામોમાં પાઇપલાઇન મારફત પીવાનું પાણી પૂરું પડાય છે. જે પીવાના પાણીની પાઇપલાઇનમાં જરૂરી મરામત કામ કરવાનું હોઇ આગામી 8 થી 10 ફેબ્રુઆરી આમ ત્રણ દિવસ માટે પાણી બંધ રહેશે. જે
માટે વાવ તાલુકાના 15 ગામો અને સુઇગામ તાલુકાના 20 ગામો મળી કુલ 35 ગામોના લોકોએ પીવાના પાણીનો પૂરતો સ્ટોક કરવા જણાવાયું છે. આ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભાભર વર્તુળના ના.કાર્યપાલક ઈજનેર દ્વારા એક નોટિસ ઇસ્યુ કરી વાવ અને સુઇગામ તાલુકા પંચાયત કચેરીઓમાં લેખિત જાણ કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.