આત્મહત્યા:મહિલાએ ઉછીના લીધેલા એક લાખની ઉઘરાણીથી ત્રાસી ઝેરી દવા ગટગટાવી

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાભરની મહિલાને શખ્સો ધમકી આપતા હતા
  • કૌટુમ્બિક ત્રણ વ્યકિત સામેે ફરિયાદ નોંધાવી

ભાભરનવા ગામે પુત્રએ ઉછીના લીધેલા રૂપિયા એક લાખની કડક ઉઘરાણી કરવામાં આવતાં તેની માતાએ ત્રાસી જઇ ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર અર્થે ખસેડાઇ હતી. આ અંગે કૌટુમ્બિક ત્રણ વ્યકિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી ભાભરનવા ગામના જયરાજસિંહ સોમભા રાઠોડે તેમના પરિવારના નંદુભા સામંતસિહ રાઠોડ પાસેથી રૂપિયા એક લાખ હાથ ઉછીના લીધા હતા.

જોકે, આ નાણાંની સગવડ ન હોઇ નંદુભા સામંતસિંહ રાઠોડ તેનો ભાઇ કિર્તિસિંહ સામંતસિંહ રાઠોડ અને તેની માતા ઇસનબા સામંતસિંહ રાઠોડ જયરાજસિંહની માતા હંસાબા અને પિતા સોમભાને અવાર- નવાર નાણાં બાબતે અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી આપતા હતા.તેમ છતાં તેઓ સહન કરતા હતા.

જોકે શખ્સો દ્વારા કડક ઉઘરાણી ચાલુ રાખી વારંવાર ધમકી આપતાં સહન ન થતાં ડરી ગયેલા હંસાબાએ ઝેરી દવા પી લીધી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા જીવન મરણ વચ્ચે ઝાંલા ખાઈ રહી છે. આ અંગે હંસાબાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...