યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના અને દર્શનના સમયમાં દર્શનાર્થીઓ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં આવતીકાલથી દિવસમાં ત્રણવાર મા અંબાની આરતી થશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિરની અંદર આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજી યાત્રાળુઓની સગવડતા ખાતર 03 મેં વૈશાખ સુદ ત્રીજ થી 30 જૂન 2022 ને અષાઢ સુદ એકમ સુધી અંબાજી માતાની આરતી તથા દર્શન ના સમયે સવારે આરતી 07:00 થી 07:30, સવારે દર્શન 07:00 થી 10:45 રાજભોગ આરતી 12:30 થી 01:00 બપોરે દર્શન 01:00 થી 04:30 સાંજે આરતી 07:00 થી 07:30 દર્શન સાંજે 07:30 થી 09:00 સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને 3 મે 2022 થી તા 30 જૂન 2022 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.