કાંકરેજ તાલુકાના ખારિયા ગામના યુવાનની બુધવારની મોડી સાંજે ખારિયા બનાસ નદીના પટમાં તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના ખારિયા ગામના સોમપુરી લહેરપુરી ગોસ્વામી ઉંમર 48 ની મોડી સાંજે ખારિયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે નદીના પટમાં ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હત્યા કરી જમીનમાં દફનાવી હત્યારા નાસી છૂટતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતની જાણ થરા પોલીસને થતા પીએસઆઇ એમ બી દેવડા એ નદીમાંથી લાશનો કબ્જો મેળવી થરા રેફરલ ખાતે લાવી પીએમ કરાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.