તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર વોર્ડ નં.9માં આવેલી સરસ્વતી સોસાયટીમાં સ્થાનિક રહીશોએ દોઢ લાખનો લોકફાળો કરી પાઇપલાઇન બિછાવવાનું કામ હાથે લીધું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ગંભીરતા ન લેતા રહીશોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર પાલિકાની ચૂંટણી ને લઈ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે તેવામાં વોર્ડ નંબર 9માં અમદાવાદ હાઇવે સ્થિત આવેલી સરસ્વતી સોસાયટીમાં સિનારિયો સાશકો વિરુદ્ધ જોવા મળ્યો છે.
આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે "અમારા વિસ્તારમાંથી સભ્યો ચૂંટાયા બાદ અહીંયા એકવાર પણ આવ્યા નથી અમારી સોસાયટીમાં ગટરની મોટી સમસ્યા છે. પરંતુ કોઈ કોર્પોરેટર ન આવતા રહીશોએ ઘરદીઠ ફાળો એકઠો કરી સોસાયટીમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. જેને વોટ લેવો હોય એ અમારા ગટરની પાઈપનો ખર્ચો આપે તોજ વોટ આપીશું નહીતો આખી સોસાયટી ચૂંટણી બહિષ્કાર કરશે." આ વિસ્તારના અગ્રણી આશિષભાઈ પંચાલે જણાવ્યું હતું કે "ઘર આગળ સોષકુવા હવે થઈ શકે તેમ નથી. ઘરના ગંદા પાણીના નિકાલ માટે દોઢ વર્ષથી પાઇપલાઇન માટે પાલિકામાં ધક્કા ખાવા છતાં કોઇ સાંભળનાર નથી જેથી અમે બધાએ મિટિંગ કરી ઘરદીઠ 15-15 હજાર ઉઘરાવી હાલ દોઢ લાખ જેટલો ફંડ એકઠું કરી પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કર્યું છે. અમે આ વખતે નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમારા વિસ્તારમાં વોટ લેવા ઉમેદવારોએ આવવું નહીં"
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.