તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એમ.બી.બીએસ માં ત્રણ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલે પાલનપુર NSUI દ્વારા બનાસકાંઠા કલેકટર ને આવેદન પાઠવી ખોટી ખોટી રીતે પાસ થયેલા ત્રણેય વિદ્યાર્થી અને પ્રકરણમાં દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલાય અને કુલપતિ રજા ઉપર ઉતારી યોગ્ય તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી અને ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને એમબીબીએસમાં ખોટી રીતે પાસ થયેલા વિદ્યાર્થ પ્રકરણમા દસ દિવસ વિતવા છતાં કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ ભાજપના આગેવાનોના પુત્રો હોય સરકાર દ્વારા મામલો દબાવવાની કોશિષ કરાઈ હોવાના પણ આક્ષેપો એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને લઇને એનએસયુઆઇ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાસ કરવાના પ્રકરણમાં તપાસ થાય તેવી માંગ કરી હતી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.