ચિત્રાસણી ગામના અનીશભાઇ અહેમદભાઇ મીરે પાલનપુર આઇ ડીએફસી. બેંકમાંથી લોન લઇ ટુ-વ્હીલર જીજે. 08. સીડી. 0777 ખરીદ્યું હતુ. જોકે, લોનના દસ હપ્તા ન ભરતાં બેંક દ્વારા વાહન સીઝ કરી હતી. જેમાં કર્મચારી દાંતીવાડા વડાવાસના વનરાજસિંહ દલપતસિંહ વાઘેલા,મહેસાણાની એજન્સીના પી. આર. ચૌધરી, કાણોદરના આરીફઅલી મહેમદભાઇ સેલીયા જમજમ સોસાયટીમાં જઇ ટુ-વ્હિલર સીઝ કરી બેંકમાં લઇ આવ્યા હતા.
જેની અદાવત રાખી સાંગ્રાના લતીફભાઇ યાસીનભાઇ ઘાસુરા,પાલનપુરનો સમીરભાઇ સિંધી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ તલવાર વડે હુમલો કરી ફરહાનખાનનું એકટિવા નં. જીજે.08. સીએ.4369ની તોડફોડ કરી ધમકી આપતાં વનરાજસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.