તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પીઢ નેતા ધારસી ખાનપુરાનું આજે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખાનપુરાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
— Narendra Modi (@narendramodi) November 3, 2020
મોદીએ શોકગ્રસ્તોને સાંત્વના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કાંકરેજના ધારાસભ્ય ધારસી ખાનપુરાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સદગતને અંજલિ આપતા જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.