તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુરમાં રવિવારે 35 એનસીસી બટાલીયન દ્વારા આદર્શ કેમ્પસ ખાતે એનસીસી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અેનસીસીમાં ઉચ્ચ સિધ્ધી મેળવનાર ક્રેડેટનું સર્ટી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના અને થેલેસીમીયાના દર્દીઓ માટે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનસીસી ક્રેડેટ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રેડક્રોસના ચેરમેન ગીરીશભાઇ જગાણીયા અને ડો.ગીરધરભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘આજના યુગમાં મહીલાઓમાં પણ રક્તદાન કરવા માટેની જાગૃતિ આવી છે. જેથી મહીલાઓ પણ રક્તદાન કરી સમાજ સેવાનું કામ કરી રહી છે. જેમાં એનસીસીના મહીલા ક્રેડેટએ પણ રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં 35 એનસીસી ગુજરાત બટાલીયનના કમાન અધિકારી કર્નલ રાજેશ નવારખેલે, લેફ્ટન કર્નલ એસ.સુભિરકુમાર સુબેદાર, મેજર બડગીરે બાલાજી, એનસીસી ઓફીસર કે.એચ.ફકીર, પી.કે.ભીલ, એચ.એચ,પટેલ, દિલિપભાઇ પટેલ સહીત મોટી સંખ્યામાં એનસીસીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.