તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં 300 લોકોએ ચેક લીધો હોવા છતાં મકાન ન બનાવતા નોટિસો પાઠવાઈ હતી.પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે પ્રથમ હપ્તો મેળવી લીધો છતાં મકાનો બનાવવાની શરૂઆત ન કરતા નોટિસો પાઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના લીધે લાભાર્થીઓને બીજા હપ્તાની રકમ પણ અપાઈ નથી.કામ શરૂ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરાશે.લોકો જૂનું મકાન તોડી પાકુ મકાન બનાવી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે
જે અંતર્ગત અરજદારોને જેમ મકાન નું કાર્ય આગળ વધે તેમ-તેમ હપ્તા ખાતામાં જમા થાય છે.જિલ્લામાં 15,835 ના લક્ષ્યાંક સામે 15,139 આવાસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે 603 આવાસ પૈકી 300 આવાસ એવા છે જેમણે પ્રથમ હપ્તાની 30 હજારની સહાય લીધી હોવા છતાં હજુ સુધી મકાનનું કામ શરૂ કર્યું નથી.
આવા અરજદારોને વારંવાર સૂચના આપવા છતાં કામ શરૂ ન કરતા તાલુકા કક્ષાએથી નોટિસ અપાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે "જે 603 આવાસના કામ પેન્ડિંગ છે તેમાં અમીરગઢ 61, ભાભર 8, દાંતા 56, દાંતીવાડા 18, ડીસા 13, દિયોદર 10, ધાનેરા 128, કાંકરેજ 45, લાખણી 25, પાલનપુર 41, સુઈગામ 6, થરાદ 89, વડગામ 63 અને વાવ 40નો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.