તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર તાલુકાના સોનગઢ પાટીયા પાસે એક કાર ચાલકે ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં એક મહીલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.ઘાયલોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દરમિયાન વધુ એક મહિલાનું સિવિલમા સારવારમાં મોત થતાં પરિવારજનોએ સિવિલમાં હંગામો મચાવ્યો હતો અને સિવિલ સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. સોનગઢના પાટીયા નજીક શનિવારે એક કાર ચાલકે ઘાસ લઈને રોડથી સાઈડમાં ચાલીને જઇ રહી હતી તે વખતે ત્રણ મહિલાઓને અડફેટે લીધા હતા. જેમાં એક મહીલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
તેમજ બે મહિલાઓને ઈજાઓ થઈ હતી.જેના પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા.અને 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી બન્ને મહિલા ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે કાર ચાલક પોતાની કાર મુકી ભાગી ગયો હતો
.જેના પગલે ઉસ્કેરાયેલા ટોળાએ કારની તોડફોડ કરતા ઉત્તેજના પ્રસરી હતી.ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે પરીસ્થિતી ઉપર કાબુ મેળવી કારને પોલીસ મથકે લાવી હતી. નજીકની હોટેલ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કાર અકસ્માતની ઘટના કેદ થઈ હતી. જેમાં રોડની સાઈડમાં ચાલતી મહિલાઓને કાર ચાલકે ઉડાવી ફંગોળી દીધા હતાં.
અકસ્માતમાં ભોગબનનાર
લક્ષ્મીબેન પરમાર (મૃતક)
નીતાબેન પરમાર(મૃતક)
નેહલબેન પરમાર(ઘાયલ)
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.