તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકાની 9 જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવતા આદિવાસી જન જાગૃતિ સંગઠન દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. દાંતા તાલુકામાં આદિવાસી વિસ્તારની 6 શાળાઓ અને OBCની ત્રણ શાળાઓ મર્જ કરવામાં આવશે તો બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તેવી સંભાવના જણાઇ રહી છે. 9 શાળાઓ મર્જ થાય તો તેમના રહેવાના સવાલો ઉભા થાય તેમ છે. જેથી બાળકોના ભવિષ્ય ન બગડે તે માટે આદિવાસી જન જાગૃતિ સંગઠન દ્વારા બાળકોના રહેવા માટે હોસ્ટેલો શરૂ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શાળાઓના મર્જ અંગે કલેક્ટરને આવેદન અપાયું
આદિવાસી જન જાગૃતિ સંગઠનના સુશીલા ડામોર દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતું. તેમણે આવેદન આપતા જણાવ્યું હતું કે, શાળાઓ બંધ થવાના બદલે ચાલુ રહેવી જોઇએ અને ત્યાં બાળકોને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી હતી. વધુમાં તેમણે 1 થી 5 ધોરણોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને ચાલુ રાખવાની માંગ કરી હતી.
જેમાં 6 શાળાઓ દાંતા તાલુકામાં અને 3 OBCની એમ કરીને કુલ 9 શાળાઓ બંધ થતા તેમના વાલીઓએ બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યકત કરી હતી. કારણ કે બીજી શાળાએ જતા વિદ્યાર્થીઓ 2થી 3 કી.મી દૂર ભણવા જતા હોય છે, જેના કારણે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ જણાઇ રહ્યું છે. જેના કારણે તેમણે આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.