તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં વિદેશમાં પણ અનેક જગ્યાએ ભારતીયોએ ઉજવણીમાં સામેલ થયા હતા. અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયે સવારે ભગવા ઝંડા સાથે રેલી કાઢી હતી.
અમેરિકામાં અનેક મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારેક કેટલીક જગ્યા પર લોકોએ મોટી સ્ક્રીન લગાવી ભૂમિ પૂજનના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. જ્યારે અનેક હિન્દુઓએ રાત્રે ઘરે દિપક પ્રગટાવ્યો હતો.
બીજી તરફ ન્યુયોર્ક શહેરમાં પણ હિન્દુ સમુદાય દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. ફેમસ ટાઈમ્સ સ્ક્વેર પર ભગવાન રામની 3ડી તસવીર દેખાડવામાં આવી હતી. રામ જન્મભૂમિ શિલાન્યાસ સેલિબ્રેશન કમિટિ (યુએસએ)ના ચેરમેન જગદીશ સેવહાનીના જણાવ્યું હતું કે 5 ઓગસ્ટની સાંજે અહીં દીપ પ્રાગટ્ય અને સંધ્યા આરતીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.