તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. કોરોનાને કારણે લોકોની રોજગારી છીનવાઇ હતી. જેથી છેલ્લા બે માસથી સમગ્ર તાલુકામાં ભરાતા હાટ બજારોમાં ધંધા-રોજગારમાં મંદીનો માહોલ છવાયો હતો, પરંતુ છેલ્લે છેલ્લે દિવાળીની ખરીદી નીકળતા વાંસદાની હાટ બજારમાં નજર નાંખો ત્યાં સુધી ભીડ જોવા મળતી હતી. આ ભીડમાં 50 ટકાથી વધુ લોકોએ માસ્ક પહેરેલા નથી. ત્યારે વાંસદા હાટબજારમાં ખરીદીની ભીડ વેપારીઓ માટે ઓક્સિજન સમાન ભલે હોય પણ બેદરકારી ઓક્સિજન છીનવી લે છે તે ભૂલતાં નહીં ! દિવાળીના ઉન્માદમાં કોરોના ભૂલાય ગયો તે ગંભીર સાબિત થઇ શકે છે. તસવીરમાં દેખાય છે તેવા દૃશ્યો લગભગ તમામ બજારોમાં જોવા મળે છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.