રાજ્યમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવો અને કલેક્ટર સહિતના અધિકારીઓએ જિલ્લા કક્ષાએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજીને બાળકોને નવા શૈક્ષણિક ભવિષ્ય માટે તિલક ચાંદલો કરી પ્રવેશ અપાવ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના પાલિકા હદ વિસ્તારમાં આવેલી કન્યા શાળા નંબર 3માં રાજ્ય સરકારના સચિવ એ.કે.રાકેશે બાળકોને તિલક-ચાંદલો અને શાળાકિય સાહિત્ય આપીને પ્રવેશ અપાવ્યો હતો.
રાજ્ય કક્ષાના અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાયા
કોરોના કહેરની સૌથી વધુ નકારાત્મક અસર શિક્ષણ વિભાગ પર થઈ હતી. ત્યારે માંડ માંડ વિદ્યાર્થીઓ સહિત શાળાઓ પણ મુખ્યધારામાં પ્રવેશીને રાબેતા મુજબ શરૂ થઈ છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને પગલે રાજ્ય સરકારના મંત્રીઓ, કેબિનેટ મિનિસ્ટર, ધારાસભ્યો, કલેક્ટર સહિત સચિવ અધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં જઈને શાળાઓમાં પ્રવેશ આવી રહ્યા છે.
રાજ્ય સરકારના સચિવે બાળકોને પ્રવેશ અપાવ્યો
નવસારી જિલ્લાના પાલિકા હદ વિસ્તારમાં આવેલી કન્યા શાળા નંબર 3માં રાજ્ય સરકારના સચિવ એ.કે.રાકેશ દ્વારા બાળકોને તિલક-ચાંદલો અને શાળાકિય સાહિત્ય આપીને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જેમાં સરકારી શાળાઓમાં ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળે તેના પ્રયાસમાં રાજ્ય સરકાર હોવાની વાત સચીવે જણાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.