તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં દશેરાટેકરીના રેલરાહત કોલોનીમાં આંગણવાડીના પાછળના ભાગે આવેલા 15થી વધુ ઘરોમાં એક વર્ષથી પાણી ન આવવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.નવસારીના વોર્ડ નંબર-13માં દશેરાટેકરી વિસ્તારમાં આંગણવાડી આવેલી છે. આંગણવાડીની પાછળ 15થી વધુ ઘરો આવેલા છે.
આ ઘરોમાં કાલીયાવાડીની પાણીની ટાંકીમાંથી પાણી આવે છે પરંતુ આ ઘરોમાં એક વર્ષથી પાણી આવતું નથી. તેમનો વિસ્તાર નવસારી-વિજલપોર નગરપાલિકામાં આવતો હોય તેમણે આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતા આખરે ચૂંટણી આવતા આ વિસ્તારનાં લોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સમસ્યાનો હલ ન આવતા કાર્યવાહી
છેલ્લા એક વર્ષથી અમારા વિસ્તારમાં પાણીનો બોર નગરપાલિકા દ્વારા કરી આપવામાં આવ્યો છે. આ બોરની પાછળ જ અમારો વિસ્તાર આવેલો છે. જ્યાં પાણી કાલીયાવાડી વિસ્તારની પાણીની ટાંકીમાંથી આવતું હતું પણ એક વર્ષથી પાણી જ ન આવતા આ બાબતે વારંવાર રજૂઆત કરી પણ કોઈ હલ ન આવતા અમારા વિસ્તારનાં 15થી વધુ ઘરોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવ્યું છે. > ભાવેશ પરમાર, સામાજિક અગ્રણી, સ્થાનિક
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.