તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ દ્વાર પાસે મૂકવામાં આવેલું સેનીટાઇઝર મશીન છેલ્લા ઘણા સમયથી ખોટકાયું છે પણ તેને રિપેરિંગ કરાવવાની કે બદલવાની તસ્દી વહીવટી તંત્ર લેતું નથી. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા બાબતે કાર્યરત જીલ્લા પંચાયત કચેરીમાં જ સેનેટાઈઝર વગર લોકો પ્રવેશ કરી રહ્યા છે.
જિલ્લા પંચાયત કચેરીમાં વિવિધ કામ સાથે આવતા લોકોએ આ મશીન શરૂ થાય તે માટે અનેક વાર રજૂઆત કરી છતાં પણ પ્રવેશ દ્વાર પાસે મુકવા આવેલું મશીન રિપેર કરાવવામાં આવ્યું નથી. સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ કોરોના સંક્રમણ મામલે જાગૃતિ લાવવાના અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે પોતાની જ કચેરીમાં સેનેટાઈઝર મશીન દુરસ્ત કરવાનો વહીવટી તંત્ર પાસે સમય નથી ત્યારે કચેરીમાં કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની? આવા અનેક સવાલે અહીં ઉભા થાય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.