વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં PM 10મી મેની સવારે 10:30 કલાકે ચીખલી પાસેના ખુડવેલ ગામે વિશાળ મેદાનમાં સભા સંબોધશે. જેમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે યોજાનારા કાર્યક્રમનું નામ આદિવાસી ગૌરવ સંમેલન નક્કી થયું છે.
PM આદિવાસી સમાજ માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા જાહેર થયેલી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરશે તેમજ લાભાર્થીઓ સાથે રૂબરૂ થશે. સાથે જ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM ગ્રીડ હાઇવેને અડીને આવેલી નિરાલી હોસ્પિટલમાં એ.એમ.નાયક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરવા સાથે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી સીધા જ અમદાવાદ જવા માટે રવાના થશે.
હજી સુધી નવસારી જિલ્લા વહીવટી તંત્ર પાસે PMનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવ્યો નથી. પણ પ્રાથમિક કક્ષાએ સંભવિત રીતે ઉપરોક્ત કાર્યકમ ગોઠવાયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક તેમજ સમગ્ર રાજ્યનું તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.