તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા પ્રવેશદ્વાર ગણાતા હનુમાનબારી સર્કલ પાસે કચરાના ઢગલા સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ આ કચરો ખાવા આવતા ઢોર રોડ પરથી અવારનવાર પસાર થતા હોવાથી અકસ્માતની ભીતિ વધી ગઈ છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સર્કલ નજીકથી કચરો દૂર કરી વાંસદા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયાસ કરે તેવી લોકમાગ ઉઠી છે.
વાંસદાના પ્રવેશદ્વારે જ કચરાના ઢગલાથી વાંસદા નગરથી છબી ખરડાઈ રહી છે એટલું ઓછુ હોય ત્યાં ઢોર આ કચરાને વેરવિખેર કરી વધુ ગંદકી ફેલાવી રહ્યા છે. વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરી હનુમાનબારી સર્કલને ચોખ્ખુચણાંક કરવામાં ન આવે તો વાંસદાની છબી ખરડાઈ રહી છે. પ્રવેશદ્વારે જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે વાંસદામાં કેવી હાલત હશે તે અંગે પણ ચોક્કસપણે લોકો વિચારે એ સ્વાભાવિક છે. જેથી વાંસદાને ચોખ્ખુચણાંક કરવા કાર્યવાહી કરવામાં આવે તે જસમયની માગ છે.
કચરાપેટી ભરાતાની સાથે જ તેમાંથી કચરાનો નિકાલ કરવાની કે પછી નવી કચરાપેટી મુકવાની વ્યવસ્થા પણ તંત્રએ ગોઠવવી જરૂરી છે ત્યારે વાંસદા નગરના સંચાલકો આ બાબતે ધ્યાન આપશે કે કેમ તે જોવું રહ્યું. સરકારી અધિકારીઓ પણ આ રસ્તે પસાર થતા હોય છે ત્યારે તેમના ધ્યાને આ બાબત આવતી હોવા છતાં તેઓ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું પણ જણાય રહ્યું છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.