તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં દાંડીયાત્રામાં સરકારનું પ્રતિનિધિત્વ કરતા આદિજાતિ અને મહિલા વિકાસ મંત્રી ગણપત વસાવાએ પણ હાજરી આપી હતી. જેમાં લુન્સીકૂઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સિક્કિમના સીએમ અને અગ્રણીઓએ હાજરી આપી હતી. બીજા દિવસે ગણપત વસાવાએ એક ટ્વીટ કરી પોતે પોઝિટિવ આવ્યા હોય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થનાર હોવાની માહિતી આપતા ચકચાર મચી ગઇ છે. પોતાની સાથે જેમનો સંપર્ક થયો હોય તેમણે પોતાનો કોરોના બાબતે રિપોર્ટ માટે અપીલ પણ કરી હતી.
જેમાં 3જી એપ્રિલે સાંજે લુન્સીકૂઈ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મંત્રી ગણપત વસાવા, સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, કલેકટર આદ્રા અગ્રવાલ, ડીડીઓ પરિક, જિ. પં.ના પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુંદ્રા, પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ, સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સભ્ય, નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ જીગીશ શાહ, સહિત 18થી વધુ મંચસ્થ હતા. જેને લઇને ગણપત વસાવાનું ટ્વીટના કારણે દોડતા કરી દીધા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.