નવસારી જિલ્લો કોરોના ની 1લી અને 2જી લહેર માંથી માંડ માંડ બહાર આવ્યું છે અને ગત 16મી માર્ચે કેસ નોંધાયા બાદ 22 મી માર્ચે કેસ ડિસ્ચાર્જ થતા નવસારી જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો.32 દિવસ કોરોના મુક્ત રહ્યા બાદ આજે ફરીવાર 1 કેસ નોંધાયો છે. ગણદેવીના 58 વર્ષીય મહિલા પોઝિટિવ આવતા નવસારી સિવિલ ખાતે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મહિલા કોરોના ચિહ્નો માઈલ્ડ રહેતા ચિંતા કરવાની જરૂર નથી.
નવસારી જિલ્લામાં અત્યાર સુધી 11927 કોરોના કેસ નોંધાયા છે.જે પૈકી સરકારી ચોપડે 210 જેટલા મૌત નોંધાયા છે. બીજી લહેર માં સારવાર દરમિયાન અનેક જિંદગીઓ હોમાઇ ગઇ હતી.ત્યારે કોરોના ની ત્રીજી લહેર માં ખાસ કંઈક કેસ નોંધાયા ન હતા.ત્યારે આજે ફરીવાર એક કેસ નોંધાતા શહેરીજનોએ આત્મચિંતન અને તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ છે.
કોરોના ની સમગ્ર ગતિવિધિ પર આરોગ્ય વિભાગની ટીમ નજર રાખીને બેઠું છે અને જેમ વધુ કેસ નોંધાશે તેમ ફરિવાર RT-PCR ટેસ્ટ અને જરૂરી તકેદારીના પગલાં લેવાની પણ શરૂઆત થશે પરંતુ શહેરીજનો જો નવસારીમાં છૂટછાટો ઈચ્છા હોય તો પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખવાની જવાબદારી જરૂરી ઊભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.