• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, The First Dose Was Taken By 5 Lakh People And The Second By 2 Lakh People. A Total Of 7694 People Were Vaccinated On Tuesday.

વેક્સિનેશન:નવસારીમાં પહેલો ડોઝ 5 લાખ તો બીજો 2 લાખ લોકોએ લીધો, મંગળવારે કુલ 7694 લોકોનું રસીકરણ કરાયુ હતુ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં લગભગ સાડા પાંચ લાખ લોકોએ પહેલો ડોઝ લીધા બાદ હવે બીજો ડોઝ પણ 2 લાખથી વધુએ લઈ લીધો છે. 16 જાન્યુઆરી 2021થી નવસારી જિલ્લામાં કોવિડ રસીકરણ અભિયાન શરૂ થયું હતું. આ અભિયાન દરમિયાન મંગળવાર સુધીમાં કુલ 5.47 લાખથી વધુ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. એટલું જ નહીં 2.01 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. 18થી 44 વર્ષ વચ્ચેના યુવાનોમાં મહત્તમ લોકોનો બીજો ડોઝ બાકી છે.

અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે જિલ્લામાં વધુ 7694 જણાંએ રસી લીધી હતી. જેમાં 7233 જણાંએ પહેલો ડોઝ અને 461 જણાંએ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1993, જલાલપોરમાં 1174, ગણદેવીમાં 1444, ચીખલીમાં 1372, ખેરગામમાં 507 અને વાંસદા તાલુકામાં 1204 જણાંએ રસી લીધી હતી. 18થી 44 વર્ષ વચ્ચેના 5400થી વધુએ રસી લીધી હતી.

જિલ્લામાં 1682 સગર્ભાને વેક્સિનેશન
રાજ્ય સરકાર તરફથી મળેલી માર્ગદર્શિક મુજબ સગર્ભાને રસીકરણ ઝૂંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઈ-મમતામાં નોંધાયેલ 6386 સગર્ભા પૈકી 1682ને કોવિડ રસીકરણથી આવરી લેવામાં આવી છે. આમ 27 ટકા જેટલી સગર્ભા મહિલાને રસીકરણ કરી નવસારી જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.