તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદથી મુંબઈ જતા રોડ પર રાત્રિના સમયે વાપીનાં ચાલકે પોતાની ટ્રક અન્ય ટ્રકમાં અથડાવી દેતા ગંભીર ઈજાને પગલે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. દાનીશ તોકીરખાન (રહે. ભીલાડ, વલસાડ, મૂળ યુપી)એ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેમનાં પરિવારનાં મોહમદ નિઝામુદ્દીન ખાન (ઉ.વ. 55) વાપીમાં ડ્રાઈવિંગનું કામ કરે છે.
28મી નવેમ્બરે રાત્રિના સમયે બોરીયાચ ટોલનાકા પાસેથી પસાર થતા હતા, ત્યારે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી લાવીને બોરીયાચ ટોલનાકા પહેલા અમદાવાદથી સુરત જતા ટ્રેક પર ચાલતી અન્ય ટ્રકના પાછળનાં ભાગે અથડાવી દીધી હતી. જેમાં મોહમદ નિઝામુદ્દીન ખાનનું ગંભીર ઈજાને પગલે સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવની પીએસઆઈ પી.વી.પાટીલ તપાસ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.