તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 7 દર્દી બહાર આવવાની સાથે કુલ કેસ 1427 થયા છે. શનિવારની સરખામણીએ રવિવારે 4 કેસ વધવા પામ્યા હતા. જે નવા કેસો બહાર આવ્યા તેમાં ચીખલી તાલુકાના જ 4 કેસ છે.જેમાં મિયાઝરી ગામના 2 અને સાડકપોર, સોલધરા ગામના એક -એક કેસ હતા.
આ ઉપરાંત ખેરગામ તાલુકાના વાડ ગામે, વિજલપોરની શીતલપાર્ક સોસાયટીમાં અને નવસારીના જલાલપોર વિસ્તારના ગૌરીશંકર મહોલ્લા વિસ્તારમાં પણ એક -એક કેસ નોંધાયા હતા. શનિવારે તો માત્ર 3 જ કેસ બહાર આવ્યા હતા. જેમાં રવિવારે વધારો થયો હતો. વધુ 7 કેસની સાથે જિલ્લાના કુલ પોઝિટિવ કેસ 1427 થઈ ગયા છે. કોરોનાની સારવાર લેતા 8 દર્દી રિકવર પણ થયા હતા. હોસ્પિટલમાં સારવાર લેતા 5દર્દી પણ રિકવર થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રિકવરની સંખ્યા 1290 થઈ છે. હાલ 36 એક્ટિવ કેસ જ છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.