તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેરગામ પંથકનું પાવન તીર્થધામ પૂ.દયાનંદ વેદપાઠીજીની પાવન તપસ્થલી વેદાશ્રમ નાંધઈ ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ભાગવત કથામાં આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ચાંદોદ નિવાસી કૈલાસપુરી મહારાજએ આશીર્વચન આપ્યા હતા. કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ કોસંબાવાળા તરફથી બાર જ્યોતિર્લિંગ મહાદેવને રુદ્રાભિષેક કરાયો હતો.વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યુ હતુ કે ભગવાનના પ્રસંગને જે પોતાનો સમજીને ઉજવે છે.એના જીવનના મંગલ પ્રસંગો શ્રીહરિ આવીને ઉજવી જાય છે,આ સંસારમાં ભરોસો જ ભગવાન છે. બે હાથવાળા કરતા હજાર હાથવાળાનો આશ્રય કરવાનો છે બોલીને ફરી જનારા ધર્મનો દંભ કરે છે “ધરમન દૂસર સત્ય સમાના” આજ સાચો ધર્મ છે આવતી કાલે કથાને વિરામ આપવામાં આવશે આ પ્રસંગે મુખ્ય યજમાન દર્શનભાઈ અરવિંદભાઈ દેસાઈ ચીખલી કોલેજ, તથા અમેરિકા નિવાસી કથાકાર બટુકભાઈ શાસ્ત્રીજી ઉપસ્થિત રહીને આશીર્વચન આપશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.