તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેરગામ તાલુકાના પાટી ગામના મહિલા સરપંચ સામે થોડા દિવસ પહેલા પંચાયતના સાત જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી,જે અંતર્ગત બુધવારે 11.45 કલાકે તાલુકા પંચાયત દ્વારા પાટી ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા બોલવાઈ હતી.પરંતુ તે પહેલાં જ મંગળવારે મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું હતું.
પાટી ગ્રામ પંચાયતમાં છેલ્લા ચાર વર્ષથી સરપંચપદે બિરાજમાન ગૌરીબેન રમેશભાઈ પટેલ સામે ઉપસરપંચ મહેન્દ્ર મગનભાઈ નાયક, સવિતાબેન રાયુભાઈ પટેલ, રેખાબેન અશ્વિનભાઈ પટેલ, જયાબેન બાબુભાઇ થોરાત, ગોવિંદભાઈ નારણભાઇ પટેલ, મુકેશભાઈ રતીલાલ પટેલ, ભૂપેન્દ્ર કુમાર છોટુભાઈ ગરાસિયા સહિત પંચાયતના સાત જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તમાં સરપંચ વિકાસકામો બાબતે સભ્યોને વિશ્વાસમાં લેતા ન હોવાનું, મનરેગાનાં કામોનો ખર્ચ સામાન્ય સભા કે ગ્રામસભામાં વાંચનમાં લેવાતો ન હોવનું, તેમજ વાર્ષિક હિસાબો વિશે પણ ગ્રામ સભ્યોને વિશ્વાસમાં લેવાતા ન હોવાના આક્ષેપો થયા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.