નર્મદામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે:21 માર્ચે લોકોના પ્રશ્નો ઉકેલવા આયોજન કરાયું; 10 માર્ચ સુધીમાં મામલતદાર, તલાટી કચેરીમાં અરજી કરવાની રહેશે

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે 21 માર્ચે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન સવારે 10 કલાકે નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની મામલતદાર, તલાટી કચેરીમાં થશે. જ્યારે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 માર્ચના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.

મામલતદાર અને તલાટીને અરજી કરી શકાશે
આ ફરિયાદ નિવારણમાં ભાગ લેવા માટે અરજદારોએ 10 માર્ચ સાંજે 6 કલાક સુધીમાં તેમનું પુરૂ નામ, સરનામું અને ટેલિફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે સંબંધિત મામલતદારની કચેરીએ અરજી કરવાની રહેશે. આ સિવાય ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રીની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ અરજી રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓની નોંધ લેવામાં આવશે.

10 માર્ચ પછી આવેલી અરજીઓ નોંધે નહીં લેવાય
​​​​​​
પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો 10 માર્ચ સુધીમાં જે તે ખાતાના સંબંધિત વડાને મોકલવાની રહેશે. તેની બે નકલ સંબંધિત મામલતદાર કચેરીએ પણ મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહીં.

વિભાગ વાર અલગ અરજી કરવાની રહેશે
​​​​​​​
કોર્ટને લગતી નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થઈ હોય અથવા જે તે વિભાગ દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવેલ હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે.

સંબંધિત અધિકારીઓ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેશે
​​​​​​​
આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ કરવાના રહેશે. અરજી મોકલવાના કવર ઉપર “જિલ્લા / તાલુકા / ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગોના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીઓએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે 10-30 કલાકે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવાનું છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...