નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે આગામી 1 ડિસેમ્બર 22 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે 11 નવેમ્બર સાંજ સુધીમાં નાંદોદ બેઠક પર ચાર ફોર્મ ભરાયા હતા. પરંતુ ડેડીયાપાડા બેઠક પર હજુ સુધી કોઈ ફોર્મ ભરાયા નથી. બે દિવસ શનિ-રવિની રાજાઓ બાદ સોમવારે છેલ્લા દિવસે સમગ્ર ફોર્મ ભરવામાં ઉમેદવારોની ભીડ જામશે.
નર્મદા જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી માહિતી મળી હતી કે, શુક્રવાર 11 મી નવેમ્બર 22 ના રોજ જિલ્લાની નાંદોદ મત વિસ્તારની બેઠકની ચૂંટણી માટે મહેશ સરાદભાઇ વસાવા (ભારતીય ટ્રાયબલ પાર્ટી), દર્શના ચંદુભાઇ દેશમુખ (ભારતીય જનતા પાર્ટી), વસાવા હર્ષદ ચુનીલાલ (અપક્ષ) અને વસાવા પ્રફુલ દેવજીભાઇ (આમ આદમી પાર્ટી) સહિત કુલ-4 ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની બેઠક માટે કોઇપણ ઉમેદવારે તેમની ઉમેદવારી નોંધાવી નથી.
નાંદોદ બેઠક પર કોંગ્રેસના હરેશ વસાવા, ભાજપના ઉમેદવાર ડો.દર્શના દેશમુખ, આમઆદમી પાર્ટીના ડો.પ્રફુલ પટેલ અને બિટીપીના ઉમેદવાર મહેશ શરદભાઈ વસાવા આ ચાર ઉમેદવારો હાલ જાહેર છે. અને ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવા અપક્ષ ઉમેવારી કરી છે. એટલે નંદોદમાં પાંચ ઉમેદવારો, જ્યારે ડેડીયાપાડા બેઠક પર કોંગ્રેસે મહિલા આગેવાન જેરમાબેન વસાવા, ભાજપ દ્વારા હિતેશ દેવજીભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા, અને બિટીપીના ઉમેદવાર બહાદુરસિંહ વસાવા આમ બંને બેઠકો પર ચાર-ચાર ઉમેદવારો પાર્ટીના ઉમેદવાર જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે હર્ષદભાઈ વસાવાએ ઉમેદવારી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.