આગામી 14 જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી આકાશમાં પતંગો ચગવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજપીપળાના એક વેપારી નીરજ પટેલે 1000 જેટલી બાઇકો, સ્કુટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે એવા તારનું મફતમાં કોઇ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાનું ઉમદ્દા કાર્ય હાથ ધર્યું છે.
આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના મારો એક બેસ્ટ ફ્રેડ પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો. જેનું આજે પણ દુઃખ થાય છે અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે બરોડામાં એક યુવાનનું આ પતંગની દોરીથી ગળું કપાઈ ગયું અને મૃત્યુ નીપજ્યું. એટલે આવા તારના ગર્ડ્સથી રક્ષણ સારું મળે છે. જે મેં જાતે લગાવી જોયું છે. લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતાં પહેલાથી પ્રોટેક્શન રાખવામાં આવે એટલે સ્કૂટર બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવામાં આવે છે. આ તારની એંગલ 100થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે પણ કોણ કરાવે તેવું કરી લોકો જિંદગી જીવે છે. ત્યારે એક જાગૃતિ આવે અને મને પણ એક સંતોષ થાય કે મેં લોકોના સ્નેહી જન, મિત્રનો જીવ બચાવ્યો. એટલે 1000 ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે. હું જાતે પણ લગાવી રહ્યો છું અને આમ બે દિવસમાં 700 જેટલા ગાર્ડસ મેં લગાવી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.