સારવાર દરમિયાન મોત:ડેડીયાપાડાના ચીકદામાં બાઈકચાલકે રાહદારીને અડફેટે લીધો; ફરાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનોં દાખલ કર્યો

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અકસ્માતના બનવોમાં દિનબદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ડેડીયાપાડાના ચીકદા ગામની સિમ વિસ્તારમાં બનવા પામી છે. જેમાં એક બાઈકચાલકે રાહદારીને પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચતી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જી બાઈકચાલક ફરાર
મળતી માહિતી મુજબ આરોપી અતુલભાઇ સોમાભાઈ વસાવા રહે. બોરીડાબરી નિશાળ ફળિયુ તાલુકો ડેડીયાપાડાનાઓ પોતાની બજાજ એવેન્જર ગાડી નંબર GJ 19 AR 3966 નંબરની બાઈક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતા હતા. જેમાં ચીકદા ગામની સીમ વિસ્તારમાં શંભુ નગર તરફ જવાના રસ્તા ઉપર આવેલા નાળા પાસે ગોનજીભાઈ વાલજીભાઈ વસાવા રહે. ચિકદા વાળા ચાલતા-ચાલતા આવી રહ્યાં હતા. તેઓને પાછળથી બાઈકચાલક ટક્કર મારી અકસ્માત સર્જી ઘટનાસ્થળે ભાગી ગયો હતો.​​​​​​​

સારવાર દરમિયાન રાહદારીનું મોત નીપજ્યું
​​​​​​​
આ અકસ્માતમાં રાહદારી ગોનજીભાઈ વસાવાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગેની જાણ ડેડીયાપાડા પોલીસને થતા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...