આવેદન:ઠાસરાના ખેડૂતોનો પાણી માટે પોકાર, કેનાલનું પાણી નહીં મળતા મામલતદારને આવેદન આપ્યું

ઠાસરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરામાં ખેડૂતોએ પાણી બાબતે મામલતદારને આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
ઠાસરામાં ખેડૂતોએ પાણી બાબતે મામલતદારને આવેદન આપ્યું હતું.
  • કેનાલોમાં પાણી તો છોડાય છે પરંતુ જર્જરિત અને સફાઇના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું નથી

એક તરફ મેઘરાજા રીસાયા છે, અને વરસાદ પાછો ઠેલાઇ રહ્યો છે. જેના કારણે સિંચાઈના પાણીને લઇ ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવાની વાતો થઈ રહી છે. પરંતુ કેનાલની જર્જરિત હાલત અને અયોગ્ય સફાઇના કારણે છેવાડાના ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી.

આવી જ હાલત ઠાસરા તાલુકામાં આવેલ રસુલપુર, પીલોલ તથા ઓરંગાપુરામાં ખેડૂતોની છે. ખેતી માટે પાણી ન મળતા ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જવાના આરે ઉભો છે. કેનાલોમાં પાણી તો છોડાયું, પરંતુ મહી કેનાલના જમણા કાંઠા ઉપર આવેલી નહેર ઉપર સાફ સફાઈના અભાવે જંગલી ઝાડી ઉગી નીકળતા પાણી પહોચવામાં અવરોધો ઊભા થાય છે.

કેનાલની સાફસફાઈ અને રીપેરીંગ થાય તો પાણી છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકે તેમ છે. પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે ખેડૂતોનો મોંઘા ભાવના ડાંગરનો પાક નિષ્ફળ જવાના આરે હોવાની રજૂઆત કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...