તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદના સલુણ ખુશાલપુરા સીમમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જોકે, હત્યા છે કે આત્મહત્યાએ એતો પી.એમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
નડિયાદ તાલુકાના સલુણ ગામે ખુશાલપુરા વિસ્તારમાંથી મંગળવારે સવારે 10:30ની આસપાસ એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. અહીંયા આવેલ પાણી વગરની સૂકી કાસડી નજીક આશરે 35થી 40ના વર્ષીય યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો.
મૃતદેહ જોવા મળતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અહીંયા ભેગા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરી હતી, પરંતુ મૃતદેહ બિનવારસી હોવાનું જણાયું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તુરંત નજીકના સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી વાલી વારસાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.