ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા કેટલાય વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી તેવા સંજોગોમાં શાળા પ્રશાસન દ્વારા આ વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં ન મોકલી દાંડાઈ કરાય છે. ઉપરાંત તેમનું એલ. સી. દબાવી દઈ બીજે પ્રવેશ ન મેળવી શકે, તે પ્રકારનું ખોટુ વલણ અપનાવે છે. ત્યારે નડિયાદ શિક્ષણ વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓની વ્હારે આવ્યુ છે.
ખાનગી શાળા સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આરટીઈ એક્ટ અન્વયે 6થી માંડી 14 વર્ષની વય ધરાવતા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ તેમની પસંદની શાળામાં આપવાનો કાયદો છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સમિતિ દ્વારા માત્ર વાલીના એફીડેવીટના આધારે કોઈ પણ સરકારી શાળામાં પ્રવેશના નિર્દેશ કર્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.