તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ ખાતે અમદાવાદી બઝાર પાસે આવેલી સબનમ હોલમાં મુસ્લિમ આગેવાનોની બેઠક રાત્રે યોજવામાં આવી હતી. આ મીટીંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મીટીંગમાં કલેકટર આઈ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી, પ્રાંત અધિકારી નડિયાદ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.. પી.આર.સુથાર વગેરે કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમ્રગ વિશ્વ, દેશ રાજ્ય અને જીલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. કોરોનાથી બચવા માટે કોવીડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો છે. આથી, રસી વિશેની લોકોમાં રહેલી તમામ ગેરસમજ દુર કરવામાં આવી હતી.
રસીકરણ અંગેની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મીટીંગના અંતે તમામ આગેવાનો એ કોવિડ વેક્સીન લેવા માટે દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો અને પોતે રસી લેશે અને અન્યને રસી લેવા સમજાવશે. તથા જરૂરી તમામ સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.