તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં ચૂંટણીના માહોલ પહેલા જ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે આ પહેલા તેઓ ભાજપમાં જ હતા પણ ફરીથી સંનિષ્ઠ કાર્યકરની ઘર વાપસી થતાં ભાજપ પક્ષમાં આનંદ છવાયો છે.
કોંગ્રેસમાં તેઓની કોઈ કદર થઇ ન હતીઃ પ્રવીણસિંહ રાઠોડ
ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ જેઓ છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસથી નારાજ હતા અને તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજરોજ નડિયાદ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ અને અન્ય જિલ્લાના આગેવાનોની હાજરીમાં પ્રવીણસિંહ તેમજ તેમની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.
પ્રવીણસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં તેઓની કોઈ કદર થઇ ન હતી. જેના કારણે તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. તેઓ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સૈનિક હતા અને કોંગ્રેસ છોડ્યા બાદ હવે તેઓએ ફરીથી પોતાના ઘરે વાપસી કરી છે. આ પ્રસંગે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, વિનુભાઈ પટેલ , વિમલભાઈ ઉપાધ્યાય, વિકાસભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.