તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં પૂનમના પાવન પર્વે દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ ઓનલાઇન બુકિંગ કરાવીને ટોકન નંબર લેવો પડશે. મંદિરમાં પૂનમે શ્રીજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. જેમાં કોવિડના નિયમનો ભંગ ન થાય તે માટે ઓનલાઇન બુકિંગ કરીને આવતાં શ્રધ્ધાળુઓને જ મંદિરમાં દર્શન માટે એન્ટ્રી આપવામાં આવશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે
જોકે, પૂનમના પાવન પર્વે દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓએ ઓનલાઇન બુકિંગ ફરજિયાત કરાવવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. શ્રધ્ધાળુઓ રણછોડરાયજીની એપ્લિકેશન અથવા તો મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન બુકિંગ કરાવીને ટોકન નંબર મેળવી શકશે.
ઉત્થાપન આરતી સમયે મંદિરમાં પ્રવેશ નહીં અપાય
આગામી 30મી ડિસેમ્બરના રોજ માગશર સુદ પૂનમના પાવન પર્વે ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર સવારે 4.45 કલાકે ખુલશે, 5.00 વાગે બંધ બારણે મંગળા આરતી થશે.5.05 થી 6.00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ શ્રીજીના દર્શનનો લાભ લઇ શકશે. 6.00 થી 6.45 સુધી શ્રી ઠાકોરજી ધર્નુમાસ આરોગવા બિરાજશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. 6.45 થી 8.15 સુધી શ્રધ્ધાળુઓને દર્શન આપ્યા બાદ 8.15 થી 8.45 સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ આરોગવા બિરાજશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. 8.45 વાગે શણગાર આરતી થશે. 8.50 થી બપોરે 1.45 સુધી દર્શન ખુલ્લા રહેશે. 1.45 થી 2.15 સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, જે સમયે દર્શન બંધ રહેશે.
સાંજના 3.45 વાગે નીજ મંદિર ખુલશે. 4.00 વાગે ઉત્થાપન આરતી થશે
2.15 વાગે રાજભોગ આરતી થશે ને સમયે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. 2.20 થી 2.45 દરમિયાન રાજભોગ દર્શન થઇ, શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે અને મંદિર પ્રવેશ બંધ રહેશે. સાંજના 3.45 વાગે નીજ મંદિર ખુલશે. 4.00 વાગે ઉત્થાપન આરતી થશે, જે સમયે મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. 4.05 થી ઉત્થાપન દર્શન થઇ નિત્યક્રમાનુસાર શ્રીજી ભગવાન શયનભોગ, સખડીભોગ આરોગી પોઢી જશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.