તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લા સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા આજે અધિક કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના નલાસર ગામે ગ્રામજનોએ અભળસેટ પ્રવૃત્તિ અપનાવી ગામના અનુસુચિત જાતિના સમાજનો બહિષ્કાર કર્યો છે. જે બાબતે રજૂઆત કરતાં તે તમામ વિરુદ્ધ પગલાં ભરાતા આજે આ મિશને રાજ્યવ્યાપી વિરોધ દર્શાવ્યો છે.
ખેડા જિલ્લા સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા આ અંગે શનિવારે ખેડા અધિક કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે. મુખ્યમંત્રીને ઉદ્દેશીને અપાયેલા આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નલાસર ગામે ગ્રામજનો દ્વારા અનુસુચિત જાતિના સમાજનો બહિષ્કાર કર્યો છે. જે બાબતે ગત રોજ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા બનાસકાંઠા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે સમયે આ મિશનના કેટલાક આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી.
દોષિત વ્યક્તિઓને પકડવાને બદલે નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. આજે આ મિશન દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ દર્શાવ્યો છે. ખેડા જિલ્લા સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા આ અંગે ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટરને આવેદનપત્ર અપાયું છે અને નિર્દોષને હેરાન કરવાને બદલે દોષિત લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.