તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદના ચકલાસી પાસે આવેલા ચાવડાવાડમાં આડોશી-પાડોશી વચ્ચે ઝઘડો થયો છે. તેમના વચ્ચે મેલીવિદ્યા બાબતનો વહેમ રાખીને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીમાં પરિણમી હતી. આ અંગે ચકલાસી પોલીસ મથકે બન્ને પક્ષોસામે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.
મકાનના પતરા ઉપર મેલી વિદ્યા કરવાના આક્ષેપો
નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના ચાવડાવાડમાં રહેતા હાજરાબીબી હમીદમીંયા શેખે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે તેમના પાડોશમાં રહેતા ગુલામશા દિવાને ગત રોજ સમી સાંજે હાજરાબીબીના મકાનના પતરા ઉપર મેલી વિદ્યા કરી રાખ નાખી હતી. જે બાબતે હાજરાબીબી અને તેમના કુટુંબીઓએ ઠપકો કરતા ઝઘડો થયો હતો. જેના પગલે આ ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો.
પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી
આ બાબતે હાજરાબીબીએ ગુલામશા દિવાન, બીલાલશા દિવાન, ઈમામશા દિવાન અને આમીનશા દિવાન વિરુદ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે બીલાલશા ગુલામશા દિવાનની ફરિયાદમાં હમીદમીંયા શેખ, રહેમુમીંયા મલેક અને હાજરાબીબી શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ચકલાસી પોલીસે સામસામી ફરિયાદ નોંધી બન્ને પક્ષને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.