ગુડફ્રાઈડે બાદના ત્રીજા દિવસે પ્રભુ ઈસુ સજીવન થયા હતા અને તે દિવસ રવિવારનો હોવાથી આ "ઈસ્ટર સન્ડે" તરીકે ઉજવાય છે. ખ્રિસ્તી બંધુઓ એકમેકને હેપ્પી ઈસ્ટર કહી શુભેચ્છા પાઠવી આ દિવસની ઉજવણી કરી છે. અને દેવળોમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવે છે.
પ્રભુ ઈસુએ ગુડફ્રાઈડેના દિવસે માનવજાતિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. અને ત્રીજા દિવસે પ્રભુ ઈસુ સજીવન થયા હતા. મૃત્યુ પર વિજય મેળવી પ્રભુ ઈસુ આ દિવસ સજીવન થયા હતા.જેને ઈસ્ટર પર્વ તરીકે મનાવવામા આવી રહ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી બંધુઓએ આજે આ પર્વની ઉજવણી કરી છે. પ્રાર્થના અને ખ્રિસ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે સાથે શનીવારની રાત્રે જાગરણ પણ કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી બંધુઓ એકમેકને હેપ્પી ઈસ્ટર કહી શુભેચ્છા પાઠવી છે. અને આ નિમિત્તે દેવળોમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભજનોની રમઝટ પણ બોલાવામા આવી છે.
કોરોનામા ઝાંખપ આવી ગયેલ આ તહેવારની ચાલુ વર્ષે દેવળોમાં એકઠા થઇ ખ્રિસ્તી બંધુઓએ કરી છે. છેલ્લા બે વર્ષથી ચર્ચનું કેમ્પસ સૂમસામ ભાસતુ હતુ. પણ આ વખતે ખ્રિસ્તી બંધુઓએ પરંપરાગત રીતે દેવળોમા ઉજવણી કરતા હેપ્પી ઈસ્ટરથી ચર્ચનું પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.