અમદાવાદથી ડાકોર જતા પદયાત્રીઓની સગવડતા માટે તેમજ ભંડારાની સગવડ માટે મંજૂરી આપવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર સેવા સંકલન સમિતિની એક બેઠક કનીજ રણછોડરાય મંદિરે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કેન્દ્રીય તેમજ પૂર્વ મંત્રી અને સમિતિના અધ્યક્ષ હરિનભાઈ પાઠકની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, 8 માર્ચથી 10 માર્ચ સુધી સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કનીજ રણછોડરાયજી મંદિર ખાતે સીડલ વીન્ડો દ્વારા પાસ આપવામાં આવશે. જેમાં આર.સી.બુક વીમો વાહન માલિકની સંમતિ ડ્રાઇવરનું નામ અને લાયસન્સ અસલ અને ઝેરોક્ષ નકલ લાવવાની રહેશે. આ મિટિંગમાં વીજ પુરવઠા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી 24 કલાક પાવર સપ્લાય આપવાનું નક્કી કરાયું છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે જિલ્લા પોલીસ વડા અર્પિતાબેન પટેલ અને તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ભંડારાઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત યાત્રા સફળ બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમજ સફાઈ કામકાજ કરવાનું અને દરેક ભંડારામાં ડસ્ટબીન મુકવા Dj અને અન્ય સાઉન્ડ પર કન્ટ્રોલ રાખવાનો રહેશે. CCTV કેમેરા ફરજિયાત મુકવાના રહેશે. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક સેનેટાઇઝર ટેમ્પરેચર ગન, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે એમ સમિતિના પ્રવીણભાઈ પટેલ અને અતુલભાઈ પટેલ પૂર્વ મ્યુ.કાઉન્સિલર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.