હિન્દુ સંસ્કૃતિ મુજબ મકરસંક્રાતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે. નડિયાદ શહેરમાં દાન-પુણ્ય નો મહિમા ને પગલે દાન સ્વિકારવા માટે હજારોની સંખ્યામાં ભિક્ષુકો સંતરામ રોડ પર ઉતરતા હોય છે, જેમને દાન આપવા માટે એટલી જ મોટી સંખ્યામાં દાતાઓ પણ આવી પહોંચતા હોય છે. વહેલી સવારે દાન આપવાની સૌથી પહેલી શરૂઆત સંતરામ મંદિરના સાધુ સંતો દ્વારા થાય છે.
મંદિર દ્વારા દરેક ભિક્ષુકને રૂ.1 અને લાડુની પ્રસાદી આપવામાં આવે છે. જે બાદ અન્ય દાતાઓ દ્વારા દિવસભર સંતરામ રોડ પર બેસેલા ભિક્ષુકોને દાન આપવામાં આવતુ હોય છે. સંતરામ મંદિર ની ભોજનશાળામાં આજે સમગ્ર દિવસ દરમિયાન લાડુ બનાવવાની પ્રક્રિયા ચાલી હતી. જેમાં 8 મણ ઘઉં નો લોટ, 4 મણ ગોળ, 2 ડબ્બાઘી, 3 ડબ્બા તેલ નો ઉપયોગ કરી 7 હજાર નંગ લાડુ બનાવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.