પાલઘર જિલ્લાના દહાણુમાં આદિવાસી મહિલાઓને જબરદસ્તીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરનારા ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. તલાવપાડાની રહેવાસી 50 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે બે મહિલા સહિત ચાર આરોપીઓ શુક્રવારે તેના ઘરે આવ્યા હતા અને તેની બધી મુશ્કેલીઓ દૂર કરવા ખ્રિસ્તી ધર્મ અપનાવવા પૂછ્યુ અને ધર્મ પરિવર્તન કરવા પર નાણાં મળશે એવી લાલચ આપી હતી.
ક્લેમન્ટ બૈલા (37), કરિયમ્મા ફિલિપ્સ (53) અને પિંકી કૌર શર્મા (36) અને પરશુરામ શિંગાડા (24) સામે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી, બે જૂથ વચ્ચે દુશ્મનાવટ પેદી કરવી, ઘરમાં ઘૂસી જવું અને અન્ય ગુનાઓ માટે ભારતીય દંડ સંહિતાની સંસુગત કલમો લાગુ કરવામાં આવી છે. ચારેય આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જે પછી આગામી કાર્યવાહી નક્કી કરાશે, એમ પાલઘર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.