તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના સોમનાથ સોસાયટીમાં રહેતા મહેશ્વરી પરિવારના ત્રણ સભ્ય કારમાં તેમની કુળદેવીનાં દર્શન માટે જતા હતા. તેઓ 20 દિવસ પહેલાં જ રાજસ્થાનમાં પરણાવેલી દીકરીને પણ સાથે લેવાના હતા. જોકે તેઓ દીકરી સુધી પહોંચે એ પહેલાં જાણે રસ્તા પર કાળ તેમની વાટ જોઈને ઊભો હોય એમ સોમવારે વહેલી સવારે સામખિયારી રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતમાં પતિ, પત્ની મળી એક જ ઘરના ત્રણ લોકોનાં કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં. ત્રણેય મૃતકોને ઘરે લવાયા બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એકસાથે ત્રણ અર્થી ઊઠતાં આખો માહોલ ગમગીન બની ગયો હતો.
પાલનપુર જતી વખતે અકસ્માત થયો
મૂળ ભચાઉના અને હાલ મોરબીમાં રહેતા 65 વર્ષીય જાણીતા ધારાશાસ્ત્રી લજપતરાય મોતીરામ કેલા તેમના 60 વર્ષીય ભાઇ જયંતીભાઈ મોતીરામભાઈ કેલા અને જયંતીભાઈનાં 54 વર્ષીય પત્ની રેખાબેન જયંતીભાઈ કેલા પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર લઇ પાલનપુર રહેતા વેવાઇને ત્યાં જઇ રહ્યાં હતાં ત્યારે સવારે 8થી 8:30 વચ્ચેના અરસામાં રાપરના કાનમેર અને માનગઢ વચ્ચે હાઇવે રોડ પર પાર્ક થયેલા એક ટ્રેઇલરમાં કાર ધડાકાભેર પાછળની સાઇડ ઘૂસી ગઇ હતી, જેમાં ધારાશાસ્ત્રી લજપતરાય અને તેમના ભાઇ જયંતીભાઈ કેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે જયંતીભાઈનાં પત્ની રેખાબેનને સારવાર માટે ગાંધીધામ લઇ જતી વખતે તેમણે રસ્તામાં જ દમ તોડ્યો હતો. ગોઝારી ઘટનાને પગલે પરિવાર, સમાજ અને વકીલ આલમમાં શોકની લાગણી ફેલાઇ હતી.
દીકરી સુધી પહોંચે એ પહેલાં કાળ પહોંચી ગયો
મોરબીના કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટા ભાઈ અને ભચાઉ ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને બીજા ભાઈ જયંતીભાઈ મોતીરામભાઈ મહેશ્વરી તથા તેમનાં પત્ની રેખાબેન જયંતીભાઈ મહેશ્વરીની દીકરીના 20 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. દીકરીના લગ્ન બાદ પ્રથમવાર તેઓ રાજસ્થાનના ઓસિયાજી ખાતે આવેલ તેમની કુળદેવીનાં દર્શન માટે પરોઢિયે સાડાપાંચ વાગ્યાની આસપાસ પોતાની જીજે 12એ કે 1763 નંબરની કાર લઈને રાજસ્થાન જવા નીકળ્યાં હતાં અને માતાજીનાં દર્શન દીકરીને સાથે રાખીને કરવાનું વિચારી તેને તેડવા માટે નીકળ્યા હતા, પરંતુ દીકરી સુધી પહોંચે એ પહેલાં કાળ પહોંચી ગયો હતો.
સાદગીને વરેલા ધારાશાસ્ત્રી સક્ષમ હોવા છતાં 37 વર્ષથી બસમાં અપડાઉન કરતા
મૂળ ભચાઉના અને વર્ષોથી મોરબી રહેતા ધારાશાસ્ત્રી લજપતરાય કેલા સુખી સંપન્ન હોવા છતાં નિષ્ઠા સાથે સાદગીભર્યું જીવન જીવતા. તેઓ સક્ષમ હોવા છતાં 37 વર્ષથી મોરબીથી ભચાઉ એસ.ટી.બસમાં અપડાઉન કરતા, વાગડના લોકો માટે મુંબઈ જતા, પણ ત્યારે પણ રિઝર્વેશન કરતાં લોકલ ડબ્બામાં મુસાફરી કરી કામ પૂર્ણ કરતા હતા. નિષ્ઠાવાન અને સાદગીભર્યું જીવન જીવતા એડવોકેટ દલપતભાઈ કેલાના અવસાનના સમાચાર સાંભળી ભચાઉ શહેર જ નહિ, તાલુકાભરના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને આ સમાચાર સાંભળી શોકમાં ડૂબ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.