તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને મોરબી શહેર અને આસપાસમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે લોકો બિન જરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે અને સંક્રમણનો શિકાર થતા બચે તે જરૂરી છે. આવા સમયે મોરબીમાં વેપારીઓ દ્વારા આવકાર જનક પગલું લઈ રહ્યા છે. મોરબીના અનાજ, કરિયાણા અને તેલના વેપારીઓ તેમજ પ્લાયવુડ અને હાર્ડવેર વેપારીઓ દ્વારા સોમવારથી એક સપ્તાહ માટે બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
હવે આ બંધ રાખવાના નિર્ણયમાં ચશ્માના વેપારીઓ પણ જોડાયા છે. તેઓએ પણ કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવવા બપોર બાદ દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મોરબી શહેરમાં આવેલા ચશ્માંના અલગ અલગ 50થી વધુ વેપારીઓ બપોર બાદ દુકાન બંધ રાખશે. જેથી લોકો બિન જરૂરી બજારમાં ફરે નહિ અને કોરોના સંક્રમણનો શિકાર થતા બચે. આ અંગે મોરબી શહેર રિટેલ ઓપ્ટિકલ એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ વોરાએ જણાવ્યુ હતું કે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે.
આવા સમયે સાવચેતી જ સલામતી હોવાથી અમે આગામી સોમવારે સુધી બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.